Advertisement
Author: નોબત સમાચાર

જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા 'નો ટોબેકો ડે' ની ઉજવણી

લોકજાગૃતિ અર્થે વ્યસનમુક્તિ પ્રદર્શન

જામનગર તા. ર૭ઃ જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ તથા મીરા સ ડેન્ટલ ક્લિનિકના સંયુકત ઉપક્રમે તા. ૩૧ નાં જામનગરમાં નો ટોબેકો ડે ની ઉજવણી કરવામાં આવશે.

લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વ્યસન મુક્તિ પ્રદર્શન, પેમ્પલેટ વિતરણ કરવામાં આવશે. આ કેમ્પમાં ધ્રુમપાન છોડવા ઈચ્છતા લોકોને માર્ગદર્શન આપવામાં આવશે.

તેમજ ઓછા ખુલતા મોઢાની સારવાર ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા શિખવવામાં આવશે. તેમજ મોં માં પડેલ ચાંદા, રૃઝ આવવા મો માથતી બળતરા મટાડવા માટે દવા આપવામાં આવશે. જે માટે ઈન્ડો કે રેમેડીયુ લિ. કંપનીનો સહયોગ સાંપડ્યો છે. આથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જામનગરને વ્યસન મુકત કરવા માટે જનતા બહોળી સંખ્યામાં લાભ મેળવે તે માટે આયોજક સંસ્થાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh