Advertisement
Author: નોબત સમાચાર

વીમા કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો આદેશ

એક લોનધારકના અવસાન પછી નખાઈ હતી ધાઃ

જામનગર તા.ર૭: જામનગરના એક આસામીએ બાંધકામ માટે લોન મેળવ્યા પછી તેઓનું બીમારીથી મૃત્યુ નિપજ્યું હતું અને તેમના વારસોને વીમા કંપનીએ વળતર ચુકવ્યું ન હતંુ. ફોરમમાં ધા નખાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરના રાજેશપુરી સી. ગોસ્વામીએ પોતાના મકાનમાં બીજા માળે બાંધકામ કરવા માટે એક્સિસ બેંક પાસેથી લોન મેળવી હતી. આ વેળાએ મેક્સ લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીની પોલિસી લેવામાં આવી હતી. તે દરમિયાન રાજેશપુરીને કેન્સર થઈ જતાં તેઓનું અવસાન થયું હતું.

ત્યારપછી તેમના વારસોએ પોલિસીની રકમ મેળવવા ક્લેઈમ કરતા વીમા કંપનીએ પહેલેથી જ કેન્સરની બીમારી હતી તેમ જણાવી ક્લેઈમ રદ્દ કર્યાે હતો તેથી ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે ફરિયાદ ચાલી જતાં ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે, દાંતના દુખાવાની રાજેશપુરીએ સારવાર મેળવ્યા પછી પોલિસીના સમયગાળામાં કેન્સરની સારવાર કરાવવામાં આવી હતી પરંતુ બાયોપ્સી રિપોર્ટ કરાવાયો ન હોય પોલિસી મેળવતી વખતે કેન્સર હોવાનું માની શકાતું નથી. ફોરમે તે દલીલ ગ્રાહ્ય રાખી રૃા.૫,૬૨,૯૧૭ની રકમ મંજૂર કરી છે. તે રકમમાંથી લોનની રકમ ભરપાઈ કરી બાકીની રકમ રાજેશપુરીના વારસોને ચૂકવી આપવાનો હુકમ કરાયો છે. અરજદારો તરફથી વકીલ વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, જે.બી. ગોસાઈ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh