Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતનો છાતીના દુખાવાએ જીવ હર્યાેઃ
જામનગર તા.૨૭: જામનગરના એક યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ચક્કર આવતા બેભાન બની ગયેલા પ્રૌઢ પર કાળનો પંજો પડ્યો છે અને એક ખેડૂતનો છાતીના દુખાવાએ જીવ હર્યાે છે.
જામનગરના રાજપાર્ક વિસ્તારમાં પ્લોટ નં.૧૪/૩માં રહેતા કુંભારાણા અભિષેકભાઈ ભગવાનજીભાઈ નામના સાડત્રીસ વર્ષના ભોઈ યુવાનને ગુરૃવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા તેઓને ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ થયું છે. તેમના પિતા ભગવાનજીભાઈ શામજીભાઈ કુંભારાણાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા અને સિદ્ધનાથ મંદિર પાસે ફૂલ વેચવાનો વ્યવસાય કરતા ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ મકવાણા નામના પચ્ચાસ વર્ષના કોળી પ્રૌઢને બુધવારે સાંજે ચક્કર આવતા અને તબીયત બગડતા ૧૦૮માં જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં આ પ્રૌઢનું મૃત્યુ થયાનું તેમના પિતા મનસુખભાઈ મકવાણાએ પોલીસને જણાવ્યું છે.
જામનગર તાલુકાના ધુડશીયા ગામમાં રહેતા અને ત્યાં જ ખેતીકામ કરતા વિઠ્ઠલભાઈ શિવાભાઈ ભંડેરી (ઉ.વ.૫૬) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા બેશુદ્ધ બની ગયા હતા. આ પ્રૌઢનું મૃત્યુ થયાનું તેમના પુત્ર વિશાલ વિઠ્ઠલભાઈ ભંડેરીએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial