Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્ર સરકારની કિસાન કલ્યાણનિધિ યોજનામાં કરોડો રૃપિયાની ગોબાચારી!

માત્ર ગુજરાતમાં જ ૪ લાખથી વધુ બોગસ ખેડૂતોએ વર્ષે છ હજાર રોકડા કરી લીધાની આશંકા

જામનગર તા.૨૭: છેલ્લા થોડા દિવસોથી કેન્દ્ર સરકારની કિસાન કલ્યાણનિધિ યોજનામાં કરોડો રૃપિયાની ગોબાચારી થઈ હોવાની આશંકા સાથેના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે.

આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ખેડૂતોને દર ચાર મહિને બે હજાર લેખે વર્ષે છ હજારની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનામાં એકલા ગુજરાતમાં જ ૪ લાખથી વધુ બોગસ ખેડૂતોને સહાયના નાણા ચૂકવાઈ ગયા હોવાના સ્ફોટક અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ગુજરાતમાં આ ૪ લાખ ખેડૂતો એવા છે જેમાંથી અનેક આવકવેરો ભરે છે, અનેકના નામ ૭/૧૨માંથી કમી થઈ ગયા છે. વગેરે અનેક મુદ્દાઓના અને નિયમોના કારણે તેમને સહાય મળી શકે તેમ ન હોવા છતાં વરસે છ હજારની રકમ ચુકવાઈ ગઈ છે. આ કથિત ગોબાચારીના કારણે એક વર્ષમાં રૃા.૨૪૦ કરોડથી વધુ રકમ બીનપાત્ર ખેડૂતોને ચુકવાઈ ગઈ છે !! જો કે, કૃષિમંત્રીએ આ પ્રકરણ અંગે જણાવ્યું કે, સમગ્ર યોજના કેન્દ્ર સરકારની છે. પણ યોજનાના સાચા લાભાર્થી ખેડૂતોની યાદી તો ગુજરાત સરકારના વિભાગમાંથી તૈયાર કરીને કેન્દ્રને મોકલાવી હશે ને ?

સમગ્ર પ્રકરણમાં તપાસ કરીને રકમ પરત લઈ લેવાશે તેમજ કડક કાર્યવાહી કરવામાં આવશે તેટલું આશ્વાસન હાલ પૂરતું રાઘવજીભાઈએ આપવું પડ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh