Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'જિલ્લા સ્વાગત' કાર્યક્રમમાં લોકોના ૧૪ પ્રશ્નોનું નિરાકરણ થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા સેવા સદનમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર અશોક શર્માએ લોકોના પ્રશ્નોને સાંભળીને તેઓના પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા માટે સંલગ્ન અધિકારીને તાકીદ કરી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી અરજદારો પોતાની રજૂઆતો લઈને આવ્યા હતાં. કુલ ૧૪ જેટલા પ્રશ્નો જિલ્લા સ્વાગતમાં કલેક્ટર દ્વારા સાંભળવામાં આવ્યા હતાં. આ તકે જિલ્લા કલેક્ટર અશોક શર્માએ કવિ દુલા ભાયા કાગ બાપુના ભજન કે જી તારા આંગણિયા પુછીને જો કોઈ આવે રે... આવકારો મીઠો આપજે રે ને યાદ કરી તમમ અધિકારીઓને કચેરીમાં આવતા અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક અભિગમ સાથે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
આ જિલ્લા સ્વાગતમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસ અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા, તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial