Advertisement
Author: નોબત સમાચાર

છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા આરોપીની સુરતથી અટક

ભિક્ષુકનો વેશ ધારણ કરી છૂપાતો હતોઃ

જામનગર તા.ર૭: જામજોધપુરમાં નોંધાયેલા છેતરપિંડીના એક ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા એક આરોપીએ સુરતના કામરેજમાં ભિક્ષુક તરીકે વેશ પલટો કરી વસવાટ શરૃ કર્યાે હતો તેની બાતમી પોલીસને મળી જતાં આ શખ્સની અટકાયત કરવામાં આવી છે.

જામજોધપુરના પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૬માં છેતરપિંડી અંગે એક ગુન્હો નોંધાયો હતો. જેમાં સંદીપ મુકેશભાઈ દેલવાડીયા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. ત્યાર થી આ શખ્સ નાસી ગયો હતો.

આ આરોપી સામે જામજોધપુરની કોર્ટે સીઆરપીસી ૭૦ હેઠળ વોરંટ ઈસ્યુ કર્યું હતું. આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ હેઠળ નોંધાયેલા આ ગુન્હામાં આરોપીની શોધ કરાઈ રહી હતી. જેમાં જામજોધપુર પોલીસને ઉપરોક્ત આરોપી સુરતના કામરેજમાં હોવાની વિગતો મળી હતી. પીઆઈ સી.એચ. પનારાને તેની વિગત અપાયા પછી જામજોધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સુરત ધસી ગયો હતો.

ઉપરોક્ત આરોપીની કામરેજમાં કરાતી શોધ દરમિયાન ભિક્ષુક તરીકે વેશ પલ્ટો કરી કામરેજમાં રહેતા સંદીપ મુકેશભાઈની ત્યાંથી અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસના સકંજામાંથી બચવા માટે આ શખ્સ સાતેક વર્ષથી ભિક્ષુક તરીકે પોતાની ઓળખ આપી વસવાટ કરતો હતો. તેને જામજોધપુર લઈ આવવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh