Advertisement
Author: નોબત સમાચાર

સલાયાની મુલાકાત દરમિયાન કલેક્ટરે કરી યોજનાકીય કામોની ચર્ચા-વિચારણા

પાણી પુરવઠો જાળવવા તંત્રને તાકીદઃ

ખંભાળિયા તા. ૨૭ઃ સલાયા ગામની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર અશોક શર્માએ સલાયાના નાગરિકોને સુવ્યવસ્થિત પાણી પુરવઠો મળી રહે તેની કાળજી જાળવવા તંત્રને તાકીદ કરી હતી.

જિલ્લા કલેક્ટર અશોક શર્મા સલાયા ગામની મુલાકાતે ગયા હતા. આ તકે ચીફ ઓફિસર સાથે પાણીની વિતરણ વ્યવસ્થા જાળવવા અને તમામ નાગરિકોને પાણી વ્યવસ્થિત રીતે મળી રહે તેની કાળજી રાખવા જણાવ્યું હતું.

આ ઉપરાંત નાગરિકોને વધુ સારી રીતે પાણી પુરવઠો પૂરો પાડી શકાય તે અંગે નગર૫ાલિકા દ્વારા સરકારની યોજના હેઠળ હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરી હતી. આ તકે મામલતદાર પી.એ. ગોહિલ, ચીફ ઓફિસર અમિત પંડયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh