Advertisement
Author: નોબત સમાચાર

પતિ સાથે ઝઘડો થતાં માઠું લાગી આવતા પત્નીએ કર્યું વિષપાનઃ સારવારમાં મૃત્યુ

ધરારનગરમાં યુવતીએ ખાઈ લીધો ગળાફાંસોઃ

જામનગર તા.૨૭: જામનગરના ધરારનગર-રમાં રહેતા એક રાવળદેવ યુવતીએ ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે પતિ સાથે ઝઘડો થતાં માઠું લાગી આવવાથી મોરકંડાના એક પરિણીતાએ ધ્રોલના નથુવડલામાં જઈ ઝેરી દવા પી જીવતર ટૂંકાવ્યું છે અને માનસિક અસ્થિરતાનો ભોગ બનેલા અને દારૃ પીવાની કૂટેવ ધરાવતા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી લીધું છે.

જામનગરના સરૃ સેક્શન રોડ પર આવેલા ધરારનગર-ર નજીક પાવરહાઉસ પાસે રહેતા ભરતભાઈ બાબુભાઈ જોગીયાણી નામના રાવળદેવ પ્રૌઢની વીસ વર્ષની પુત્રી હિરલે ગઈકાલે બપોરે પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં પિતાએ ૧૦૮ને કોલ કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવતીને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. સિટી-બી ડિવિઝનના પીએસઆઈ એસ.વી. સામાણીએ મૃતદેહનો કબજો સંભાળી પિતા ભરતભાઈનું નિવેદન નોંધ્યું છે અને તપાસ આરંભી છે.

જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટિયા નજીક દરગાહ પાસે વસવાટ કરતા હમીરભાઈ રમેશભાઈ મેથાણીયા નામના કોળી યુવાનના પત્ની મનિષાબેન (ઉ.વ.૨૬)એ ગઈકાલે સવારે ધ્રોલ તાલુકાના નથુ વડલા ગામમાં આવેલા નિલેશભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં જઈ ઝેરી દવા પી લીધી હતી.

આ પરિણીતાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પતિ હમીરભાઈએ પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય તેનું માઠું લાગી આવતા મનિષાબેને આત્મહત્યા વ્હોરી લીધી છે. ધ્રોલના જમાદાર એચ.બી. સોઢીયાએ મૃતદેહને પી.એમ.માં ખસેડી તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના  શિવરાજપુર ગામમાં વસવાટ કરતા દેવાયતભા પ્રાગજીભા નાયાણી (ઉ.વ.ર૧) નામના યુવાન ગુરૃવારે રાત્રે દસેક વાગ્યે પોતાના ગામ નજીક આવેલા રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઓખાથી દ્વારકા જતી એક ટ્રેન હેઠળ કોઈ કારણથી ઝંપલાવી લીધુ હતું. ટ્રેનના તોતિંગ એન્જિનની ટક્કર વાગ્યા પછી પાટા પર ફેંકાયેલા દેવાયતભા પર પૈંડા ફરી વળતા તેઓનું ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના માતા હીરબાઈ પ્રાગજીભા નાયાણીનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

આ વૃદ્ધાએ પોલીસ સમક્ષ જાહેર કર્યા મુજબ તેમના પુત્ર માનસિક અસ્થિરતાનો ભોગ બન્યા હતા. તે ઉપરાંત દારૃ પીવાની પણ ટેવ ધરાવતા હતા. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh