Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી

હજુ બાકી રહેલા કાર્યો સત્વરે પૂર્ણ કરવા તાકીદઃ

જામનગર તા. ર૭ઃ જામનગરમાં ચોમાસાની સીઝનને ધ્યાને લઈને કેનાલ, પુલિયાની સફાઈ કામગીરી શરૃ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનરે આ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.

શહેરની વરસાદી પાણીની કેનાલ, પુલિયાની પ્રિ-મોન્સુન અંતર્ગત સફાઈ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૪૦ કિ.મી. લંબાઈની કેનાલમાંથી ૧૦૦૦ મે. ટન જેટલો કચરો- કાદવ કાઢવામાં આવ્યો છે.

ગઈકાલે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ દરેક ફિડીંગ કેનાલ, દિ. પ્લોટ ૪૯ કેનાલ, રામનગર કેનાલ, કેવડી નદી, ભીમવાસ કેનાલ, ખોડિયાર કોલોની કેનાલ, સત્યમ્ કોલોની સહિતના વિસ્તારમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને બાકી રહેતી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી.

તેમની આ મુલાકાત સમયે અધિકારી ભાવેશ જાની, મુકેશ વરણવા, દિપક શિંગાળા પણ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh