Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૭ઃ દ્વારકાધીશ મંદિરમાં ચલણી નોટો ઉડાડવાનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે આક્રોશ સાથે દ્વારકા વાઘેર સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. ખંભાળીયા જિલ્લા કલેકટર તંત્રને હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપીને ઉગ્ર વિરોધ વ્યકત કરીને જવાબદારો સામે પગલાની માંગણી કરવામાં આવી છે.
મંદિરમાં મોબાઈલ લઈ જવો પ્રતિબંધિત છે, ત્યારે છેક મંદિરની અંદર ચલણી નોટો ઉડાડતો વીડિયો મોબાઈલ દ્વારા ઉતારીને વાયરલ થયો હોય આ બાબતે દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પગલાની માંગ કરવા છતાં હજુ સુધી કોઈ પગલા નહીં લેવાતા હિન્દુ સંગઠન દ્વારા મંદિરમાં ચલણી નોટો ઉડાડવાની કોણે છૂટ આપી ? મંદિરમાં મોબાઈલથી શુંટીંગ થયું તે કોઈ અધિકારીએ ના જોયું ? ચેકીંગ ના કર્યું ? વીઆઈપીઓ, પૈસાદારોને મોબાઈલ લઈ જવાની છુટ છે ? આ બનાવમાં પૂજારી સંકળાયેલા હોય તો તેમની સામે પણ પગલાની માંગણી સાથે તટસ્થ તપાસ કરીને પગલા ભરવાની રજુઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial