Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સહિતના પાંચ સામે ફરિયાદઃ
જામનગર તા. ૫ઃ જામનગરના એક મહિલાના ચૌદ વર્ષ પહેલા લગ્ન થયા પછી તેણીને પતિ, સાસુ, સસરા, નણંદ અને નણંદોયાએ નાની બાબતોમાં ગાળો ભાંડી શારીરિક માનસિક ત્રાસ આપતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.રમાં રહેતા સવિતાબેન વસરામભાઈ મકવાણા (ઉ.વ.૩૭)ના લગ્ન વર્ષ ૨૦૦૯માં જામનગરના રણજીતસાગર રોડ પર મહાવીર સોસાયટીમાં રહેતા હસમુખ મનજીભાઈ રાઠોડ સાથે કરવામાં આવ્યા હતા.
ત્યારપછી આ પરિણીતાને નાની વાતોમાં વાક કાઢી ગાળો ભાંડી મારકૂટ કરાતી હતી. પીયર પરત ફરેલા સવિતાબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ હસમુખ, સાસુ મણીબેન, સસરા મનજીભાઈ લાલજીભાઈ, નણંદ રેખાબેન દીપકભાઈ, નણંદોયા દીપક કારાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial