Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદની સૂચનાથી કામ અઠવાડિયું વહેલુ પૂરૃ કરીને
જામનગર તા. પઃ જામનગરમાં ફ્લાય ઓવરબ્રીજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેની આનુસંગિક કામગીરી માટે અંબર જંકશન પાસે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, જે આજે ખોલી નાખવામાં આવ્યો છે. આમ આજથી આ માર્ગે વાહનવ્યવહાર પૂર્વવત બન્યો છે. જામનગરમાં ફ્લાય ઓવરબ્રીજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. તેમાં અંબર જંક્શન પાસે પાણીની લાઈન, કેબલ શિફટીંગ વગેરેનું કામ કરવાનું હોવાથી ર૧ દિવસ માટે અંબર જંક્શનથી હોસ્પિટલ તરફનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો. આથી ગુરુદ્વારા ચોકી પાસે ટ્રાફિક સમસ્યા ઊભી થવા પામી હતી. આ પછી ધારાસભ્ય અને ત્યારપછી સાંસદે સ્થળ મુલાકાત કરી હતી અને કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. જેમાં કામની ઝડપ વધારવામાં આવી હતી અને આખરે ૧૩ દિવસમાં કામ પૂર્ણ કરીને આ બંધ માર્ગે આજે શુક્રવારથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આમ ર૧ દિવસનું કામ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ૧૩ દિવસમાં જ પૂર્ણ કરી નાંખવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial