Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધાર્મિક સ્થાનો-મંદિરો અને સંસ્થાઓમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું આસ્થાભેર પૂજન

સંતો, મહંતો, મહોદયો, ધર્મગુરુઓ દ્વારા સ્વાગતઃ છોટીકાશી બન્યુ રામમય

જામનગર તા. ૫ઃ જામનગરના ધાર્મિક સ્થાનોમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું આસ્થાભેર પૂજન કરવામાં આવી રહયું છે. રર જાન્યુઆરી પહેલા જામનગરમાં રામમયી વાતાવરણ બની રહ્યું છે.

જામનગરમાં પુષ્ટિમાર્ગીય મોટી હવેલી, આણદાબાવા સેવા સંસ્થા, બાલા હનુમાન સંકીર્તન મંદિર, સ્વામિનારાયણ મંદિર ઉપરાંત માનવ સેવા ઉત્થાન સમિતિ સહિતના ધર્મસ્થાનોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી. આ અક્ષત કળશના આગમનને લઈને ધર્મસ્થાનોમાં પણ ભક્તો કળશની પધરામણી કરવામાં આવી હતી. આ અક્ષત કળશના આગમનને લઈને ધર્મસ્થાનોમાં પણ ભક્તો આસ્થાભેર પૂજન અર્ચન કરી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામ ભગવાનની પુનઃ પ્રાણપ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ અને આનંદોત્સવની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

જામનગરના મોટી હવેલીમાં પૂ.પા. ગૌ. વલ્લભરાયજી મહોદ્ય, પૂ.પા. ગૌ પ્રેમદ્રરાયજી દ્વારા અયોધ્યાથી આવેલા અક્ષત આમંત્રણને પૌરાણિક પદ્ધતિ ગણાવી તેનું મહત્ત્વ સમજાવી વૈષ્ણવોને આગામી રર જાન્યુઆરીએ શ્રીરામ જન્મભૂમિમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોડાવા આહ્વાન કર્યું હતું, અને હવેલીમાં પણ આ મહોત્સવ દરમિયાન લાઈવ-ટેલિકાસ્ટ પ્રસારણ કરી મહાઆરતીનું આયોજન કરવા અંગે પણ વૈષ્ણવોને જોડાવા પ્રસ્તાવ રજૂ કર્યો છે.

આ ઉપરાંત જામનગરના શ્રી આણદાબાવા સેવા સંસ્થામાં પણ પૂ. દેવપ્રસાદજી મહારાજે પણ અક્ષત કળશનું પૂજન કર્યું હતું., તો બીજી તરફ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થામાં પૂ. ધર્મનિધિ સ્વામી અને સંતો-મહંતો દ્વારા ખાસ સભા યોજી આ અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું અને હરી ભક્તોને પણ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ઘેર ઘેર દીવાળી ઉજવવા આહ્વાન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બેડીગેટ સ્વામિનારાયણ મંદિરમાં પણ પૂ. ચત્રભૂજ સ્વામી દ્વારા મુખ્ય મંદિરમાં અક્ષત કળશની પધરાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, તો જામનગરના વિશ્વવિખ્યાત બાલાહનુમાનજી સંકીર્તન મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, માતૃશક્તિ સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ પ્રફુલાબેન અગ્રાવત, મંત્રી હેમતસિંહ જાડેજા, સહમંત્રી અને ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલિયા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરિયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, બજરંગ દળ સહસંયોજક ધ્રુમિલ લંબાટે, માતૃ શક્તિ સહસંયોજિકા ભાગીરથીબેન અજા, વર્ષાબેન નંદા, સ્વરૃપબા જાડેજા સહિતના અગ્રણીઓએ શ્રી બાલાહનુમાનજી નિજ મંદિરમાં અયોધ્યાથી આવેલ અક્ષત અર્પણ કરી પૂજન-અર્ચન કર્યું હતું. તો બીજી તરફ માનવ ઉત્થાન સમિતિમાં સાધ્વી ભાવનાબાઈજી દ્વારા અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં ધર્મસ્થાનોમાં આગામી રર જાન્યુઆરી ર૦ર૪ ના ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યાથી આવેલા અક્ષત કળશ અને આમંત્રણને લઈને અર્ચન પણ કરાઈ રહ્યું છે અને અયોધ્યાના આનંદોત્સવને ઉજવવા જામનગરમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh