Advertisement
Author: નોબત સમાચાર

વન વિભાગ દ્વારા જામનગરની માનસિક આરોગ્ય હોસ્પિટલના દર્દીઓનો ટ્રેકીંગ કેમ્પ

સાંસ્કૃતિક કાર્યક્રમ અને વન ભોજનની સાથે

જામનગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક આર. ધનપાલના માર્ગદર્શન હેઠળ માનસિક આરોગ્યની હોસ્પિટલ જામનગરના દર્દીઓ માટેનો દાંતા વીડી વિસ્તારનો ટ્રેકીંગ કેમ્પ યોજાયો હતો. જેમાં માનસિક આરોગ્ય અંગેની સારવાર લઈ રહેલા ૫૦ જેટલા સભ્યોને પ્રકૃતિના દર્શન કરાવવાની સાથે વન અને પર્યાવરણ તથા વન વિભાગને લગતી અનેક રસપ્રદ વિગતોથી માહિતગાર કરાયા હતાં. આ કેમ્પમાં ટ્રેકીંગ કેમ્પની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વન ભોજન સહિતના આયોજનો પણ વન વિભાગ દ્વારા કરાયા હતાં. દર્દીઓને અલગ વાતાવરણ મળી રહે તેમજ તેઓને માનસિક શાંતિનો અનુભવ થાય તે પ્રકારની ફોરેસ્ટ હીલિંગ થેરાપી આપવાનો અનેરો પ્રયાસ આ કેમ્પના માધ્યમથી હાથ ધરાયો હતો. કેમ્પમાં આર.એફ.ઓ. એમ.ડી. બડીયાવદરા, રાઉન્ડ ફોરેસ્ટર જે.ડી. કંડોરીયા, વન વિભાગ તથા હોસ્પિટલનો સ્ટાફ વિગેરેએ સહયોગ આપ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh