Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત ૧૦ વર્ષ સુધી ધજા ચડાવી જન્મદિનની ઉજવણીઃ
જામનગર તા. પઃ જામનગરને કર્મભૂમિ બનાવીને ઉદ્યોગ ક્ષેત્રે જામનગરથી દિલ્હી સુધીની વ્યાપ ધરાવતા અને કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ એક્સપોર્ટનો એવોર્ડ ઉપરાંત જામનગરનો મેયર એવોર્ડ સહિતના વિવિધ સન્માન મેળવનારા નગરના અગ્રણી ઉદ્યોગપતિ રામગોપાલ મહેશ્વરીનો આવતીકાલે ૭ મી જાન્યુઆરીએ જન્મદિવસ છે, ત્યારે તેઓએ પ્રતિવર્ષના ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવવા માટેના કરેલા સંકલ્પના અનુસંધાને આવતીકાલે ૬૧ મા વર્ષના મંગલ પ્રવેશ સમયે દ્વારકાધીશજીના મંદિરે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ અવિરત ચાલું રાખ્યો છે, અને દ્વારકાધીશજીના મંદિરે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં જન્મેલા અને જામનગરને કર્મભૂમિ બનાવનારા રામગોપાલ મહેશ્વરી કે જેઓએ જામનગરથી દિલ્હી સુધી ઉદ્યોગ ક્ષેત્રે જામનગરનું નામ રોશન કર્યું છે. જામનગરમાં સીયરામ ગ્રુપ ઓફ કંપનીઝ, પ્રકાશ મેટલ્સ કંપનીની સ્થાપના કરી નિકાસ ક્ષેત્રે તેમની સિદ્ધિને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પણ એવોર્ડ એનાયત કરાયો હતો. જેઓને જામનગરનો મેયર એવોર્ડ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, તેઓએ જામનગર સ્થિત સીયારામ રિસાયકલિંગ લિમિટેડનો ઈસ્યુ પણ ગત્ ૧૪ મી ડિસેમ્બરે બહાર પાડ્યો છે, અને ધમાકેદાર એન્ટ્રી કરી અનેક રોકાણકારોને નવી તક આપી છે. રામગોપાલભાઈ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક ક્ષેત્રમાં અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial