Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુધવારે કોઈ શખ્સે બતાવ્યો કરતબઃ
જામનગર તા. ૫ઃ જામનગરના માંડવી ટાવર વિસ્તારમાં બુધવારે સવારે એક વૃદ્ધના ખિસ્સામાંથી રૃા.૩૦ હજારની રોકડ રકમ સેરવાઈ ગયાની ફરિયાદ થઈ છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરીમાં રહેતા ૫રસોત્તમભાઈ જેઠાભાઈ માંડવીયા નામના એંસી વર્ષના વૃદ્ધ બુધવારે સવારે સાડા દસેક વાગ્યે માંડવીટાવર પાસે આવ્યા હતા.
આ વેળાએ તેઓએ પોતાના પેન્ટના ખિસ્સામાં રૃા.૩૦ હજાર રોકડા રાખ્યા હતા. એક કલાકમાં તેઓના ખિસ્સામાંથી આ રકમ આંગળીના કોઈ ઈલમીએ સેરવી લીધી હતી. તેની જાણ થતાં પરસોત્તમભાઈએ શોધખોળ કરી હતી પરંતુ પોતાની રકમ નહીં મળતા આખરે તેઓએ ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial