Advertisement
Author: નોબત સમાચાર

વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં રૃા.૩૧.૮૮ લાખનું ચૂકવાશે વળતર

ચોટીલા પાસે બાઈક સાથે ટકરાયું હતું ટેન્કરઃ

જામનગર તા. ૫ઃ રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ પર ચોટીલા પાસે થયેલા એક અકસ્માતમાં ધ્રોલ તથા ચુડા ગામના બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. તેમના વારસોને કુલ રૃા.૩૧ લાખ ૮૮ હજારની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.

ધ્રોલમાં રહેતા ૫ોલાભાઈ દેવાભાઈ ચૌહાણ અને ચુડા ગામના તુલસીભાઈ મગનભાઈ સોલંકી મોટરસાયકલમાં ધ્રોલ તરફ આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ચોટીલા નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા જીજે-૩-એઝેડ ૫૧૨૪ નંબરના ટેન્કર આ બાઈકને ઠોકરે ચઢાવ્યું હતું.

આ અકસ્માતમાં પોલાભાઈ તથા તુલસીભાઈને ગંભીર ઈજા થઈ હતી. તુલસીભાઈનું સારવાર મળે તે પહેલાં અને પોલાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના વારસોએ વળતર મેળવવા ટ્રિબ્યુનલમાં અરજીઓ કરી હતી. તે અરજીઓ ચાલી જતાં ટ્રિબ્યુનલે મૃતક પોલાભાઈના વારસોને રૃા.૧૪,૭૪,૭૨૩ તથા તુલસીભાઈના વારસોને રૃા.૧૭,૧૪,૦૨૩ની રકમ ચૂકવી આપવા હુકમ કર્યાે છે. અરજદારો તરફથી વકીલ જયદેવસિંહ આર. જાડેજા, અરવિંદ ચાંદ્રા, જયેશ ધ્રુવ, ભાવિકા જોષી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh