Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીના સભાસદને ચેક પરતના કેસમાં સજા પડીઃ
જામનગર તા. ૫ઃ જામનગરના એક કારખાનેદારને ચેક પરતના કેસમાં બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકારાયો છે. જ્યારે એક સોસાયટીએ ચેક પરતની સભાસદ સામે કરેલી ફરિયાદમાં એક વર્ષની કેદનો હુકમ કરાયો છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલી રેશ્મી એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક અરવિંદભાઈ પરમાર પાસેથી ગજરા પ્રોડકટ નામનું કારખાનું ચલાવતા દયાળજી ભાઈ શામજીભાઈ ગજરાએ સ્ક્રેપ ખરીદ્યા પછી તેની રકમ ચૂકવવા માટે રૃા.૨,૧૬, ૧૬૦નો ચેક આપ્યો હતો.
આ ચેક બેંકમાંથી પરત ફરતા અરવિંદભાઈએ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી દયાળજીભાઈ ગજરાને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સુરેશચંદ્ર ધારવીયા રોકાયા હતા.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેકીટ કો.ઓ. સોસાયટીના સભાસદ મનિષ હરસુખભાઈ લખીયરે સોસાયટી પાસેથી લોન મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા સોસાયટીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં મનિષ લખીયરને અદાલતે તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, હરજીવન ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial