Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આઈ.એમ.એ. દ્વારા હોમગાર્ડઝના જવાનોને સીપીઆર તાલીમ

હાર્ટએટેકના વધતા બનાવો વચ્ચે રક્ષણજનક તાલીમઃ

હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના ૬૧ મા સ્થાપના દિન નિમિત્તે કમાન્ડન્ટ જનરલ તથા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત રાજ્ય બ્રાન્ચ) સાથે એમ.ઓ.યુ. કરી હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના સભ્યોને સી.પી.આર. તાલીમ આપવાનો કરાર કર્યો હતો. જે અંતર્ગત આઈ.એમ.એ.ની જામનગર બ્રાન્ચ દ્વારા એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના ઓડીટોરિયમમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે ૩પ૦ થી વધુ હોમગાર્ડઝ જવાનોને તાલીમ આપવામાં આવી હતી. આઈ.એમ.એ. જામનગરના પ્રેસિડેન્ટ ડો. ધવલ તલસાણિયાના નેતૃત્વમાં તબીબોએ હૃદય રોગના હુમલા વખતે કટોકટીના સમયે કેવી રીતે સી.પી.આર. વડે દર્દીનો જીવ બચાવી શકાય એ નિદર્શન કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh