Advertisement
Author: નોબત સમાચાર

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર જિલ્લાના શખ્સને સખત કેદ-દંડ

દુષ્કર્મમાં મદદગારી કરનાર મિત્રને પણ પાંચ વર્ષની ફટકારાઈ સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના સિક્કા ગામના બે શખ્સે છ વર્ષ પહેલાં સાડા ચૌદ વર્ષની તરૂણીનું અપહરણ કર્યું હતું. આ શખ્સો પૈકીના એક શખ્સે તે સગીરાને ફેસબુકના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવ્યા પછી લગ્ન કરવાની લાલચ બતાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યા પછી પોતાના મિત્ર સાથે મળી અપહરણ કરી લીધાનું ખૂલ્યું હતું. ઝડપાઈ ગયેલા બંને આરોપી સામે ચાર્જશીટ કરાયા પછી તે કેસ ચાલી જતાં અદાલતે દુષ્કર્મ ગુજારનાર આરોપીને ર૦ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકારાયો છે, તેના મિત્રને પાંચ વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ કરાયો છે.

જામનગર નજીકના સિક્કા પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સાડા ચૌદ વર્ષની વયની પુત્રી પોતાના ઘરેથી ગઈતા.૧૭-૭-૧૯ની રાત્રે ભેદી સંજોગોમાં લાપત્તા બની ગઈ હતી. જેની બીજા દિવસે સવારે તેના પરિવારને જાણ થતાં તરૂણીની શોધખોળ શરૂ કરાઈ હતી. તે દરમિયાન અગાઉ આ તરૂણીને પજવતા એજાઝ હનીફ ખોળ નામના શખ્સના ઘરે તપાસ કરાતા આ શખ્સ પણ ઘરે ન હોવાનું ખૂલ્યું હતું.

ગુમ થનાર તરૂણી તથા એજાઝના મોબાઈલ નંબર પર તરૂણીના પરિવારે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તા.ર૧ના દિને ફોન ઉપડ્યો હતો અને એજાઝે મારી સામે પોલીસમાં ફરિયાદ કરી હતી, હવે તમારી પુત્રી મારી પાસે છે તેમ કહી ફોન કાપી નાખયો હતો. ત્યારપછી પોલીસને જાણ કરાતા પોલીસે શરૂ કરેલી તપાસમાં ખૂલ્યા મુજબ એક વર્ષ પહેલાં આ તરૂણી સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવેલા એજાઝે મળવા માટે બોલાવ્યા પછી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાનું અને તે પછી ચારેક વખત દુષ્કૃત્ય આચર્યાનું ખૂલ્યું હતું.

તે દરમિયાન ગઈ તા.૧૭-૭-૧૯ની રાત્રે એજાઝ તથા તેનો મિત્ર અજયસિંહ કિરીટસિંહ બાઈક લઈને આવ્યા હતા. જેમાં તરૂણીને બસાડી દઈ અજયસિંહના ઘેર લઈ એજાઝે ફરીથી દુષ્કર્મ ગુજાર્યા પછી બીજા દિવસે તે તરૂણીને ગાગવાધાર પાસે ઉતારી મૂકી હતી. ત્યાંથી પોતાની બહેનપણીના ઘરે ગયેલી આ તરૂણીને સાંજે ફરીથી એજાઝ એક ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતની ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધી એજાઝ હનીફ  તથા અજયસિંહ કિરીટસિંહની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે બંને આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી આઈપીસી ૩૭૬ (૩), પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૨, ૧૭ હેઠળ આરોપી એજાઝ હનીફને ૨૦ વર્ષની સખત કેદની સજા, રૂ.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૬૬ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદ રૂ.પ હજારનો દંડ  ફટકાર્યાે હતો. જ્યારે અજયસિંહ કિરીટસિંહને પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૨, ૧૭ હેઠળ પાંચ વર્ષની સખત કેદ, રૂ.પ હજારનો દંડ, આઈપીસી ૩૬૩ના ગુન્હામાં એક વર્ષની સખત કેદ રૂ.૩ હજારનો દંડનો હુકમ કર્યાે છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૪ લાખનું વળતર ચૂકવવામાં આવશે. સરકાર તરફથી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh