Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાયરીંગ કરતી વેળાએ યુવાનને વીજ આંચકોઃ
જામનગર તા. ૨૭: જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ પોતાના ઘરે ખુરશી પરથી પડી ગયા પછી સારવારમાં ખસેડાયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. ઈલેકટ્રીકનું વાયરીંગ કરી રહેલા એક યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે.
જામનગરના બેડીબંદર રોડ પર આવેલી પંચવટી સોસાયટીની શેરી નં.૩માં રહેતા વલ્લભભાઈ ચનાભાઈ સોજીત્રા નામના પાંસઠ વર્ષના વૃદ્ધ ગઈ તા.૧૭ની બપોરે પોતાના ઘરે હતા ત્યારે ખુરશી પરથી ગબડી પડતા બેશુદ્ધ બની ગયા હતા.
સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર પ્રશાંત સોજીત્રાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી અંબર ટોકિઝ સામેના એક કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા ફર્નિચર તથા ઈલેકટ્રીકના કામ પર હિતેન્દ્રભાઈ રણછોડભાઈ વસોયા નામના યુવાન ઈલેકટ્રીક કામ કરતા હતા ત્યારે તેઓને કોઈ રીતે વીજ આંચકો લાગતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું મૃત્યુ નિપજયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial