Advertisement
Author: નોબત સમાચાર

મહંત પૂ. દેવપ્રસાદજીને આજે ૭પ વર્ષ પૂર્ણ થયાઃ વિશિષ્ટ સેવાયજ્ઞો દ્વારા જન્મદિવસની ઉજવણી

વિવિધ સેવા પ્રવૃત્તિઓ તથા લોક કલ્યાણની પ્રવૃતિઓ કરતી જામનગરની આણદાબાવા સેવા સંસ્થાના ગાદિપતી

                                                                                                                                                                                                      

જામનગરના આણદાબાવા સેવા સંસ્થાના ગાદિપતી પ.પૂ.  મહંત શ્રી દેવપ્રસાદજીના જન્મ દિવસની વિશિષ્ટ સેવાયજ્ઞ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. પ.પૂ. દેવપ્રસાદજીને આજ રોજ ૭પ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે સવાર થી વિશિષ્ટ ધાર્મિક તેમજ સમાજ લક્ષી કાર્યાે સાથે મહંતશ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજરોજ વહેલી સવારે ૮ વાગ્યા થી સાંજના ૭ વાગ્યા સુધી અખંડ રામધૂન યોજવામાં આવી છે તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સવાર થી સાંજ સુધી, સર્વરોગ નિદાન કેમ્પ બપોરના ૧ર વાગ્યા સુધી અને રાત્રીના ૯:૦૦ થી ૯:૩૦ સુધી પૂ. બાપુશ્રીના આશીર્વચનના કાર્યક્રમ પછી સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરના મહાપ્રસાદનું પણ આયોજન સેવા સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું છે. અષાઢી બીજના શુભ દિવસે પ.પૂ. મહંત શ્રી દવપ્રસાદજીના જન્મ દિવસ પ્રસંગે ખાસ બહારગામથી તેમજ શહેરમાંથી પણ બાપુના આશીર્વાદ લેવા માટે અનુયાયો ઉપસ્થિત રહ્યા હતાં અને બાપુને ફૂલહાર પહેરાવી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. (તસ્વીરઃ નિર્મલ કારિયા)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh