Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તા ૫રના દબાણો ભલેને હટાવાય...
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા છાસવારે શહેરના માર્ગો પરના રેંકડી-પથારાવાળાના દબાણો હટાવવાની કામગીરી થાય છે, પણ ફરીથી ત્યાં જ વ્યાપક દબાણો ખડકાઈ જતા હોવાથી આ 'બહાદુરી ભરી' કામગીરી દરેક વખતે લોકોમાં હાસ્યાસ્પદ અને નાહક સમાન બની રહી છે.
મનપા તંત્રની બેદરકારીના તો અનેક નમૂના છે...જામનગરના એસ.ટી. રોડ પરથી તળાવની પાળ તરફ ચાલવાના માર્ગ પર મનપાની જ એક ગાર્ડન તરીકે અનામત રહેલી જગ્યા વચ્ચોવચ્ચ એક ચા ની કેબીન ઊભી કરી દેવામાં આવી છે. આ ગાર્ડનને શ્યામજી કૃષ્ણવર્મા ગાર્ડન નામ આપી ત્યાં તેમની પ્રતિમા મુકવામાં આવી છે. જેમાં ચા ની કેબીન કોણે ઊભી કરી તે પ્રશ્ન છે...અને મનપા ની જગ્યામાં રાતોરાત ચા ની કેબીન થઈ ગઈ હોવા છતાં કેમ તંત્રના ધ્યાને આ દબાણ આવ્યું નહીં.!
આ ચા ની કેબીન તો ખડકી દેવાઈ પણ સાથે સાથે દબાણકર્તાની હિંમત તો જુઓ, આ જગ્યાની નજીક આવેલ વીજ થાંભલા/ટ્રાન્સફોર્મરમાંથી ડાયરેક્ટ વીજ જોડાણ પણ લઈ લીધું છે...! વીજતંત્ર પણ અંધારામાં !!
જાહેર માર્ગો પરના દબાણોમાં તે એક નવો જ અનુભવ એવો પણ થયો કે રાત્રિના ૮ વાગ્યા પછી ત્રણબત્તીથી અંબર ચોકડીના માર્ગ પર એસપી સાહેબના બંગલાના ગેઈટની બરાબર સામે એક ગોલા-સરબતવાળાએ ફૂટપાથ ઉપર નહીં પણ રસ્તા ઉપર રીતસર સ્ટોલ ઊભો કરી ઉનાળાની સિઝનમાં ધંધો કરી લીધો..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial