Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટર સમક્ષ કરાયેલી અપીલમાં થયો હુકમઃ
જામનગર તા. ૨૭: કાલાવડના રવશીયા ગામની એક જમીનના વેચાણનો દસ્તાવેજ કરાયા પછી તેની નોંધ દાખલ થતાં વાંધા અરજી કરવામાં આવી હતી. અંતે કલેક્ટર સમક્ષ કરાયેલી અપીલમાં તે નોંધ મંજૂર રાખવામાં આવી છે.
કાલાવડ તાલુકાના રવશીયા ગામમાં રે.સ.નં.૧૫૪માં આવેલી જમીન દેવરખી પબાભાઈ ખુંટી નામના આસામીએ ખરીદ્યા પછી તેની ગામ નમૂના નં.૬માં નોંધ થઈ હતી. તે નોંધ સામે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ વાંધા અરજી કરી હતી.
તે દાવા દરમિયાન બેંક દ્વારા એનઓસી આપવામાં આવતા અને મનોજ કાંતિલાલ નંદા હાજર થયા હતા. તેઓએ આ જમીનનો તેમના નામ જોગનો વેચાણ કરાર રજૂ કર્યાે હતો. પ્રાંત અધિકારીએ વાંધા અરજી ગ્રાહ્ય રાખી ઉપરોક્ત વેચાણ નોંધ નામંજૂર કરી હતી.
તે હુકમ સામે જામનગર કલેક્ટર સમક્ષ અપીલ કરવામાં આવી હતી. તે અપીલ ચાલી જતાં કલેક્ટરે પ્રાંત અધિકારીનો હુકમ રદ્દ કરી અરજદારની અપીલ મંજૂર રાખી છે. એપેલેન્ટ તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial