Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ધારાસભ્યના કાર્યાલય પર આયુષ્માન વયવંદના કાર્ડ કઢાવવા ૨૭-૨૮ જુને વિશેષ કેમ્પ

૭૦ વર્ષથી વધુ ઉમરના નાગરિકો માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરાયું છે. ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય પરથી તા. ૨૭ અને ૨૮ જુન દરમિયાન ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટેના કાર્ડ કાઢી અપાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતભરના ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 'આયુષ્માન વય વંદના યોજના' લાગુ કરાઇ છે, અને તે માટેના જરૂરી કાર્ડ પણ સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવી રહૃાા છે. આથી જામનગરના ૭૦ વર્ષ થી વધુ વય ના વરિષ્ઠ નાગરિકો માટેના 'આયુષ્માન વય વંદના કાર્ડ' કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન જામનગર ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા કરવામાં આવ્યું છે.

તદ્પરાંત તારીખ ૨૭ જૂન ૨૦૨૫ અને ૨૮ જૂન ૨૦૨૫ એમ કુલ બે દિવસ માટે સવારે ૧૧.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય લાખોટા મિગકોલોનીના સ્થળે બે દિવસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આથી ૭૯- વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા ૭૦ વર્ષ કે તેથી વધુ ની વયના કોઈપણ વરિષ્ઠ નાગરિકો, કે જેઓ આયુષ્માન વય વંદના કાર્ડ કઢાવવા માંગતા હોય, તેઓએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ પૈકીના રાશનકાર્ડ તેમજ આધાર કાર્ડ કે જે મોબાઈલ નંબર સાથે લીંક કરેલો હોય, તે આધાર પુરાવા લઈને જન સંપર્ક કાર્યાલય નો સંપર્ક સાધવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh