Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ઐતિહાસિક ધરોહર સમો ભુજીયો કોઠો બનશે શહેરનું નવલુ નજરાણુઃ કરોડોના ખર્ચે રેસ્ટોરેશન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર ની ઐતિહાસિક ધરોહર એવા ભુજીયા કોઠાનો ફેઝ -૧નું રેસ્ટોરેશન કાર્ય ૯૫ ટકા પૂર્ણ થઈ ગયું છે. તેના માટે ૨૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને જામનગર મહાનગર પાલિકા દ્વારા નગરની આ ઐતિહાસિક ધરોહર ભૂજીયા કોઠાને તેના મૂળ સ્વરૂપમાં લાવવા તબકકાવાર સતત કામ ચાલી રહ્યું છે.

 આ ઉપરાંત ફેઈઝ- ૨ માં બીજો અઢાર કરોડનો ખર્ચ કરવામાં આવી રહૃાો છે, અને ભુજીયા કોઠાથી ખંભાળિયા ગેઇટ કે જેમાં ગઢ ની રાંગ તરીકે ઓળખાતી જૂની દીવાલ ઉપર રેસ્ટોરેશનનું કાર્ય હાથ ધરી લઈ પાથ-વે બનાવાઈ રહૃાો છે, જ્યારે ભૂજીયા કોઠા થી લાખોટા કોઠા સુધીનો આઇકોનીક ફૂટ ઓવર બ્રિઝ બનાવવામાં આવશે, તેના માટે ૧૮ કરોડ નો ખર્ચ મંજૂર થયો છે.

જે પૈકી ખંભાળિયા ગેઇટ તરફનો પાથ-વે ટૂંક સમય માંજ તૈયાર થઈ જશે, અને આગામી બે મહિના સુધીમાં જ નગર જનો માટેનું નવું નજરાણું ખુલ્લુ મુકવામાં આવશે, તેમ જાણવા મળી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh