Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વધારાનો કેસ નહીં:
જામનગર તા. ૨૭: જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં રાહત જોવા મળી રહી છે. ગઈકાલે પણ શહેરમાં માત્ર બે નવા કેસ નોંધાયા હતાં. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વધારાનો કેસ નોંધાયો નથી. શહેર વિસ્તારના ૧૮ દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે જ્યારે બે દર્દીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જામનગર શહેરમાં કોરોનાના કેસનો સંખ્યામાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે. જામનગરના શહેરી વિસ્તારમાં ગઈકાલે બે કેસ નોંધાતા રાહત મળી હતી. જેમાં સેતાવાડ વિસ્તારના બાવન વર્ષના મહિલા અને પાર્ક કોલોનીના ૩૭ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.
ગઈકાલે પાંચ દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. જામનગર શહેરમાં હાલની સ્થિતિએ કુલ ૧૮ એક્ટિવ કેસ છે. જ્યારે બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોઈ નવો કેસ નોંધાયો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial