Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાળાને મારી નાખવાની ધમકી ઠપકારીઃ
જામનગર તા. ૨૭: જામનગરની ઈન્દ્રદીપ સોસાયટીમાં એક વિપ્ર યુવાનના ઘરે ધસી આવેલા સાળા, સસરા તથા સાઢુભાઈએ ગાળો ભાંડી હતી અને સાળાએ મારી નાખવાની ધમકી આપી હતી. આ યુવાનને પત્ની સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના વિકાસગૃહ રોડ પર આવેલી ઈન્દ્રદીપ સોસાયટીમાં રહેતા કેતનભાઈ પ્રભુદાસ ભટ્ટ નામના વિપ્ર યુવાન બુધવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેમના મોટાભાઈ તથા માતા પણ હાજર હતા.
આ વેળાએ ત્યાં ધસી આવેલા કચ્છના ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામના વતની અને કેતનભાઈના સસરા પ્રતાપભાઈ ગૌરીશંકર ગોર તેમજ સાળા અભિષેક પ્રતાપભાઈ ગોર અને જામનગરમાં રણજીતનગર નજીક હુડકા પાસે રહેતા સાઢુભાઈ જીજ્ઞેશ લવાએ બોલાચાલી શરૂ કરી હતી.
થોડા દિવસ પહેલાં કેતનભાઈને પોતાના પત્ની સાથે કોઈ બાબતે થયેલી માથાકૂટ પછી ઉપરોક્ત ત્રણેય વ્યક્તિએ ગાળો ભાંડી હતી અને અભિષેક ગોરે હવે પછી મારી બહેનને હેરાન કરીશ તો જાનથી મારી નાખીશ તેવી બનેવીને ધમકી આપી હતી. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેતનભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સાળા, સસરા, સાઢુભાઈ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial