Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧.૫ ડિગ્રીના વધારા સાથે
જામનગર તા. ૨૭: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ ૯૫ ટકાએ સ્થિર રહ્યું હતું. જ્યારે ૧.૫ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું. વરસાદના પગલે ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ ક્લાક દરમિયાન ૧.૫ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ૧.૩ ડિગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી નોંધાયું હતું. નગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ ૯૫ ટકાએ સ્થિર રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગઈકાલે બપોર સુધી બફારો અનુભવાયો હતો. બપોર પછી વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧૫ થી ૨૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial