Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ગુરૂદ્વારામાં યોજાયેલી પ્રાર્થનાસભા દરમિયાન
જામનગર તા.૨૭ :જામનગર ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા અમદાવાદમાં વિમાન દુર્ઘટના માં અવસાન પામેલા દિવંગતો તેમજ ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પવા માટેની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શીખ સંગત અને સિંધી સંગત એ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી,
જામનગર ગુરુદ્વારા ગુરુ સિંધ સભામાં ૨૫ જૂન ૨૦૨૫ને બુધવારના ગુરુદ્વારમાં વિશેષ કીર્તન દિવાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામ્યા હતા, તેમની આત્માને શાંતિ માટે સાથે દિવંગત વિજયભાઈ રૂપાણી માટે અંતિમ અરદાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુરુદ્વારમાં સુખમણી સાહેબજીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાઈ ભૂપેન્દ્રસિંધજી છત્તીસગઢ વાલેનું શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું, તેમજ લંગરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial