Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢ વર્ષ પહેલાં પાનની દુકાનમાંથી મળી હતી ૪૭ બોટલઃ
જામનગર તા. ૨૭: જામનગરના પી.એન. માર્ગ પર અંબર ટોકિઝ સામે એક દુકાનમાં આયુર્વેદ પીણાના નામે વેચાતા કેફી પીણાના જથ્થાને દોઢ વર્ષ પહેલાં પોલીસે પકડી પાડ્યા પછી તેને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા પછી તે બોટલમાં આલ્કોહોલ હોવાનું ખૂલતા દુકાનદાર તથા બોટલના સપ્લાયર સામે ફોજદારે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી અંબર ચોકડી નજીક શંકર વિજય પાન નામની દુકાનમાં ગઈ તા.૧-૧ર-ર૩ની સાંજે સિટી બી ડિવિઝન પોલીસે ચકાસણી હાથ ધરી હતી.
તે દુકાનમાંથી હર્બી ગોલ્ડ આસવ નામનું પીણું મળી આવ્યું હતું. તે પીણાની ૪૭ બોટલ મળી આવી હતી. રૂ.૭૦૫૦ની કિંમની તે બોટલ કબજે કરી પોલીસે તેને પૃથકરણ માટે રાજકોટ એફએસએલમાં મોકલી હતી. તેનો રિપોર્ટ આવ્યો છે.
રિપોર્ટમાં આ પીણામાં ૧૨.૪ ટકા ઈથાઈલ આલ્કોહોલ હોવાનું ખૂલતા પીએસઆઈ જે.પી. સોઢાએ ખુદ ફરિયાદી બની આ દુકાનના સંચાલક જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૪ના છેવાડે વિશ્રામવાડી પાસે રહેતા કનૈયાલાલ લીલારામ નંદા તથા તે બોટલ મોકલાવનાર એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવાસમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલા સામે પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫ (એ) (એ), ૮૧ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial