Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સંત નિરંકારી મિશન દ્વારા ઉજવાયો વિશ્વ યોગ દિવસઃ યોગાભ્યાસ

શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: સંત નિરંકારી મિશન દ્વારા જામનગરમાં યોજાયેલ યોગાભ્યાસ શિબિરમાં શ્રદ્ધાળુઓની ઉત્સાહપૂર્ણ સહભાગિતા રહી હતી.

'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે ૨૧ જૂનના સંત નિરંકારી મિશન દ્વારા સમગ્ર ભારત ભર માં મિશનની ૧૦૦૦થી વધુ શાખાઓમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડોની સંખ્યામાં નિરંકારી ભાઈ-બહેન શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દરેક સ્થળે સ્થાનિક યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓએ યોગાસનો કર્યા અને જીવનમાં યોગના મહત્વ વિશે મૂલ્યવાન શિક્ષા પ્રાપ્ત કરી. તમામ સ્થળોએ  આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં સવારે ૭ થી ૮ વાગ્યા સુધી  યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક શ્રદ્ધાળુ જોડાયા હતાં.

આ વર્ષે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ના 'એક ધરતી  એક સ્વાસ્થ્ય'ના ધ્યેયને સામે રાખીને મિશન દ્વારા પુરુષોની સાથે સાથે મહિલા શ્રદ્ધાળુઓને પણ યોગ શિબિરોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેના પરિણામે મહિલાઓએ આ શિબિરોનો લાભ લીધો હતો.

સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજની દિવ્ય આધ્યાત્મિક શિક્ષાને ધારણ કરીને નિરંકારી ભક્તો જ્યાં મનોબળ અને આત્મબળ પ્રાપ્ત કરે છે, ત્યાં

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh