Advertisement
Author: નોબત સમાચાર

રહેણાંક મકાનમાંથી મળ્યા બીયરના ટીન નો જત્થો: એક શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાના સપ્લાયરનું નામ ખૂલ્યું:

જામનગર તા.૯ : લાલપુર તાલુકાના જોગવડ ગામમાં એક શખ્સના મકાનમાં ગઈકાલે એલસીબીએ દરોડો પાડી બીયરના ૬૨ ટીન કબજે કર્યા છે. ઝડપાયેલા શખ્સે ધ્રાંગધ્રાના સપ્લાયરનું નામ આપ્યું છે. જ્યારે જામજોધપુરમાંથી એક શખ્સ નશાની હાલતમાં રખડતો ઝડપાયો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામમાં એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, કાસમ બ્લોચ તથા ઋષીરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ ગઈકાલે સાંજે જોગવડ ગામમાં જોષીપરામાં આવેલા અનિલ જેરામભાઈ પંચાસરા નામના શખ્સના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી બીયરના ૬૨ ટીન મળી આવ્યા હતા. રૂ.૭૭૫૦ના ટીન, એક મોબાઈલ સાથે અનિલ પંચાસરાને અટકમાં લઈ પૂછપરછ કરાતા તેણે આ જથ્થો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સંજય ખવાસ પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે. બંને સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જામજોધપુરના ગાયત્રીમાં થી સોમવારે રાત્રે પસાર થતાં જામજોધપુરના શાંતિનગર વાળા ચેતન સાજણભાઈ સોલંકી નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા આ શખ્સ નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. તેની સામે ગુન્હો નોંધી પોલીસે અટક કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh