Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના ભંડારીયા પાસે શ્વાન આડું ઉતરતા અકસ્માતમાં બાઈકચાલકનું મોત

જામજોધપુરમાં બે તરૂણ પર બોરવેલનો ટ્રક ફરી વળ્યોઃ

જામનગર તા.૯ : કલ્યાણપુરના મેવાસા ગામના બાઈકચાલક ભંગારીયા ગામ પાસેથી બાઈક પર જતા હતા ત્યારે શ્વાન આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં આ યુવાને જિંદગી ગુમાવી છે. જ્યારે જામજોધપુરના એક ખેતરમાં રાત્રિના સમયે નિદ્રાધીન બે શ્રમિક તરૂણ પર બોરવેલની કાળ બનીને ફરી વળી હતી.

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા રાહુલભાઈ નાથાભાઈ ભાટીયા (ઉ.વ.ર૭) નામના યુવાન ગઈ તા.૧ની સાંજે આઠેક વાગ્યે જીજે-૩૭-પી ૯૬૧ નંબરના મોટરસાયકલમાં ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ભંડારીયા ગામ પાસેથી પસાર થતાં હતા.

આ વેળાએ રોડ પર અચાનક દોડતું શ્વાન આડું ઉતરતા રાહુલભાઈ તેને બચાવવાના પ્રયાસમાં હેન્ડલ પરનો કાબૂ ગૂમાવી બેઠા હતા. તેઓનું બાઈક સ્લીપ થયું હતું અને આ યુવાન રોડ પર પછડાયા હતા.

માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા રાહુલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે તેમનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પિતા નાથાભાઈ કરશનભાઈ ભાટીયાએ પોલીસને જાણ કરી છે. ખંભાળિયા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.

જામજોધપુરમાં માર્કેટ યાર્ડ પાછળ ચીમનભાઈ ભગવાનજી જાવીયા નામના ખેડૂતના ખેતરે સોમવારે રાત્રે બોર ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. જેમાં એક બોરવેલની ગાડી કામ પર હતી. તેમાં મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના વતની ભંગી આશારામ સેનાની તથા રિતેશ નામના પિતરાઈ ભાઈ કામ કરતા હતા. આ વેળાએ બંને તરૂણ થાક્યા પછી ખેતરમાં અંધારામાં નિદ્રાધીન હતા ત્યારે જીજે-૩ સીઈ ૨૩૩ નંબરની બોરવેલ ટ્રક તેમના પર ફરી વળી હતી. બંને તરૂણના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. મૃતકના પિતા આશારામ સેનાનીએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં બોરવેલના ટ્રકચાલક ભૂરા સામે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh