Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીમાં રંગમતી નદીને જનસહયોગથી ઉંડી ઉતારવાનો નિર્ણય

ચેરમેને મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી

જામનગર તા. ૯: જામનગર શહેરમાંથી પસાર થતી રંગમતી નદીને ઉંડી ઉતારવાની કામગીરી કરવામાં આવનાર છે. આ માટે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવ્યા પછી ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીમાં આ માટેનો નિર્ણય લેવાયો હતો.

જામનગરમાંથી પસાર થતી રંગમતી નદીને ઉંડી ઉતારવાનો ગઈકાલથી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

હવે આગામી દિવસોમાં આ નદીમાં ખોદાણ કામ શરૂ કરવામાં આવશે. હાલારની મેગા કંપનીઓનો ઉપરાંત જામનગરની બિન સરકારી સંસ્થાઓ (એનજીઓ)નો સહયોગ લેવામાં આવશે. ઉપરાંત ડબલ એ ગ્રેડવાળા કોન્ટ્રાકટરોનો પણ સહયોગ મેળવાશે જયારે તમામ કામગીરી મહાનગર પાલિકાની દેખરેખ હેઠળ થશે.

ગત માસે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ આ અંગે કમિશનર સમક્ષ રજુઆત કરી હતી. જેના અનુસંધાને આ કામગીરી હાથ ધરવામાં આવશે. આમ, આગામી દિવસોમાં નદીને ઉંડી ઉતારવામાં આવ્યા પછી પાણીની સંગ્રહ શકિત વધશે. અને આજુબાજુના વિસ્તારનાં જમીનો પાણીના તળ ઉંચા આવશે.

ઉપરાંત આગામી સમયમાં રિવર ફ્રન્ટ પ્રોજેકટ પણ અમલમાં મુકવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh