Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંપનીના અધિકારીએ કરી હતી ફરિયાદઃ
જામનગર તા.૯ : જામનગરમાં એક દુકાનમાંથી હિન્દુસ્તાન યુનીલીવર કંપનીના અધિકારીએ તેમની કંપનીની નકલી ચીજવસ્તુ વેચતા વેપારી સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. જામનગરમાં દુકાન ચલાવતા સચિન સુભાષભાઈ વૈયાટાની દુકાનમાં હિન્દુસ્તાન યુનીલીવર લિ. કંપનીના કાનૂની પ્રતિનિધિએ દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી આ કંપનીની ૧૩ આઈટમની ૧૨૮ આઈટમ તેમજ અન્ય ડુપ્લીકેટ વસ્તુઓ મળી આવી હતી. આ વેપારી સામે કોપી રાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે કેસ જામનગરની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી સચિન સુભાષભાઈ વૈયાટાની મુક્તિ ફરમાવી છે. આરોપી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial