Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શિરડી સાંઈબાબાના મંદિરે યોજાયો શ્વાસના દર્દીઓ માટે સારવાર કેમ્પઃ ૧૪૦ લાભાર્થી

જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં

જામનગરમાં ગાંધીનગરના શિરડી સાંઈબાબા મંદિરમાં શ્વાસના દર્દીઓ માટે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં ત્રણ વખત ગુરૂપૂર્ણિમાં, શરદ પૂનમ અને હોળી પૂનમના દિવસે આ કેમ્પો યોજવામાં આવે છે.  તાજેતરમાં હોળી પૂનમે યોજાયેલા કેમ્પમાં ૧૪૦ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં ડો. ઉમંગ પંડયા અને તેની ટીમે સેવા આપી હતી. અને શ્વાસ રોગથી બચવાના ઉપાયો જણાવ્યા હતાં. આ કેમ્પમાં ધારાસભ્ય રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્ર પટેલ, શિવુભા, વિરેન્દ્ર ત્રિવેદી, રાજ રાચ્છ, અતુલ રાજાણી, કિશોરભાઈ પટેલ, પસાભાઈ, રવિ ત્રીવેદીએ જહેમત ઉઠાવી હતી. એમ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh