Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની કામગીરી
જામનગર તા. ૯: જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ૮૦૦ કિલો ઘાસનો જથ્થો જપ્તીમાં લેવાયો હતો. ત્યારે ગેરકાયદે લટકતા જાહેરાતના ૪૦૦ જેટલા પાટીયા ઉતારી લેવામાં આવ્યા હતાં. જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી તથા નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાની સૂચનાથી કેટલ પોલીસીની કડક અમલાવારી કરવામાં આવી રહી છે. અને ગેરકાયદે રીતે ઘાસચારો વેચનારા સામે કડક કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત એસ્ટેટ શાખાની અમુક ટીમોએ શહેરના વીજપોલમાં ગેરકાયદે લટકાયેલા જાહેરાતના પાટીયા ઉતારવાની કામગીરી કરી હતી. આજે એસ્ટેટ શાખાની ટુકડીએ અલગ અલગ પાંચ વિક્રેતાને ત્યાંથી ઘાસનો ૮૦૦ કિલો જથ્થો જપ્ત કર્યો હતો. અને મહાનગર પાલિકાના ઢોરનાં ડબ્બામાં મોકલવામાં આવ્યો હતો. અને આશરે ૪૦૦ જેટલા જાહેરાતના કિઓસ્ક બોર્ડ ઉતરાવી લીધા હતાં.
એસ.ટી. રોડ, ખોડીયાર કોલોની, હીરજી મીસ્ત્રી રોડ, રણજીતનગર, સાત રસ્તા વગેરે વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવી હતી. હજુ આગામી દિવસોમાં પણ આવી કામગીરી યથાવત ચાલુ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial