Advertisement
Author: નોબત સમાચાર

વર્લ્ડ નવકાર-ડે ના અવસરે નમસ્કાર મહામંત્રની જપ-સાધનામાં સેંકડો ભાવિકો ભક્તિભાવે જોડાયા

તેજપ્રકાશ ઉપાશ્રયમાં શ્રી બેંક કોલોની સંઘમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે વર્લ્ડ નવકાર-ડે ના અવસરે નમસ્કાર મહામંત્રની જપ-સાધનામાં સેંકડો ભાવિકો ભક્તિભાવે જોડાયા.

તેજપ્રકાશ ઉપાશ્રયમાં શ્રી બેંક કોલોની સંઘમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી  આદિ ઠાણા આયંબિલ ઓળી અર્થે પધારતા જામનગરની ધન્ય ધરા પર ધાર્મિક માહોલ સર્જાયો છે.

નિત્ય પ્રવચન, તપ-સાધના અને વિવિધ આયોજન અંતર્ગત આજે વર્લ્ડ નવકાર-ડે અવસરે આયોજિત સામુહિક નમસ્કાર મહામંત્રની જપ-સાધનામાં ૫૦૦થી વધુ ભાવિકો વિશ્વ કલ્યાણની શુભ ભાવના સાથે શ્રદ્ધાભાવે જોડાયા હતા અને આત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. આ અવસરે જામનગરના મેયર શ્રી બીનાબેન કોઠારી પણ નમસ્કાર મહામંત્રની જપ-સાધનામાં ભાવથી જોડાયા હતા. આવતીકાલે ૧૦ એપ્રિલના સવારે ૧૦:૩૦ કલાકે આપણા મહાઉપકારી ભગવાન મહાવીર જન્મ કલ્યાણક અવસરે મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાથે જામનગરના પ્રસિદ્ધ ટાઉન હોલમાં એક અત્યંત ભાવુક અને હ્ય્દયસ્પર્શી નાટિકા 'મેં પહેચાન ન પાયા' પ્રસ્તુત કરવામાં આવશે. જેના એક-એક નયનરમ્ય દ્રશ્યો એક નવી દ્રષ્ટિ આપનાર હશે. એક-એક દ્રશ્ય નિહાળતા-નિહાળતા અંતર મન કહેશે, ઓહ! આવા હતા મારા ભગવાન મહાવીર... હું તો એમને ઓળખી ન શક્યો અને હ્ય્દય પ્રભુભક્તિના અહો-ભાવથી છલકાઈ જશે . ક્યારેક જ પ્રસ્તુત થતી આવી નાટિકા દ્વારા ભગવાનને જાણવા અને માણવા સર્વને પધારવાનું શ્રી સંઘ તરફથી હાર્દિક આમંત્રણ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh