Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકઃ
ખંભાળીયા તા. ૯: જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રિદ્ધિબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકમાં યોજાઈ હતી.
સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબો મેળવ્યા હતાં. ઉપરાંત બેઠકમાં સિંચાઈ, પાણી, પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય, રાષ્ટ્રીયી ધોરીમાર્ગ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ યોગ્ય પ્રત્યુતર પાઠવવા સૂચના આપી હતી. ઉપરાંત નાગરિકની સમસ્યાઓને અગ્રતા આપી તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચનો આપ્યા હતાં. ઉપરાંત જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાપન, રોડ સેફટી, જમીન માપણી જેવા વિવિધ મુદ્દે વિગતવાર સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીએ સૂચનો આપ્યા હતાં.
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારીયા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક એચ.એ. જોશી, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial