Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના પંચમુખી હનુમાન મંદિરે હનુમાનજીનો પ્રાક્ટય મહોત્સવ ઉજવાશે : શ્રેણીબદ્ધ કાર્યક્રમો

દ્વારકા તા. ૯: શનિવારે હનુમાનજીના પ્રાગટ્યોત્સવ પ્રસંગે દ્વારકાના પંચમુખી હનુમાનજી મંદિરે શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

આગામી તા. ૧ર-૪-ર૦રપ, શનિવારના રોજ પવનપુત્ર શ્રી હનુમાનજીના પ્રાક્ટયોત્સવ પ્રસંગે દ્વારકાના ગાયત્રી મંદિર પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમની પ્રાપ્ત વિગતો અનુસાર સવારે ૧૦ કલાકે સુંદરકાંડના પાઠ, બપોરે ૪ કલાકે સત્યનારાયણીની કથા, સાંજે ૬ કલાકે શ્રી દ્વારકાધીશ ગોપીમંડળ તથા શ્રી ગોમતીઘાટ ગોપીમંડળના બહેનો દ્વારા સત્સંગ, સાંજે ૭.૩૦ કલાકે મહાઆરતી, રાત્રે ૮.૦૦ કલાકે બ્રહ્મભોજન, સંતભોજન તથા મહાપ્રસાદ, રાત્રે ૧૦.૩૦ કલાકે સંતવાણી સહિતના શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાશે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના મહંત દયાદાસબાપુ ગુરૂશ્રી કિશોરદાસ બાપુએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh