Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દેવ નાખવાનું અનંત અંબાણી દ્વારા અભિવાદન

નગરના બાળકની ૮ કિ.મી.પદયાત્રાથી સૌ કોઇ પ્રભાવિત

રિલાયન્સનાં અનંત અંબાણીએ ખાવડી રિલાયન્સ ગ્રીનથી દ્વારકા જગતમંદિર સુધીની પદયાત્રા ૧૦ દિવસમાં પૂર્ણ કરી હતી. યાત્રા દરમ્યાન અનેક મહાનુભાવો તેમની સાથે જોડાયા તેમજ કેટલાક સ્થાનિક લોકોએ પણ પદયાત્રામાં તેમને વિવિધ ભેટ અને શુભકામનાઓ આપી હતી. અનંત અંબાણીની પદયાત્રાનાં ૮ માં દિને જામનગરના દેવ નાખવા નામનો બાળક પણ પદયાત્રામાં જોડાયો હતો.જામનગર થી દેવ તેમના પરિવાર સાથે  અનંત અંબાણી જ્યાંથી આઠમાં દિવસની પદયાત્રા શરૂ કરવાના હતાં ત્યાં પહોંચ્યા હતાં ત્યાર પછી અનંત અંબાણી સાથે ૮ કિ.મી. પદયાત્રા કરતા સૌ કોઇ તેનાં સમર્પણથી પ્રભાવિત થયા હતા. અનંત અંબાણીએ પણ તેનું અભિવાદન કરતા બાળકને જીવનભરની અમૂલ્ય સ્મૃતિની ભેટ મળી હતી. અનંત અંબાણીએ તેમના સિક્યુરીટીને કહી દેવ નાખવા સાથે ફોટોગ્રાફી પણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh