Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાશ્વતી આયંબિલ ઓળીના પારણા તથા
જામનગર તા. ૯: જામનગર શહેરમાં સમસ્ત જૈન સમાજની ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ ઓળી ચાલી રહી છે, તે પૈકી સ્થાકવાસી જૈન સંઘ ચાંદી બજારના આંગણે બિરાજતા ગોંડલ સંપ્રદાયના આગમ અર્કદર્શક પ.પૂ.બા.બ્ર. રાજેશમુનીજી મ.સા.ના સુશિષ્યા પ.પૂ.બા.બ્ર. હિતજ્ઞાજી મ.સ. આદી ઠાણા-૩ની નિશ્રામાં શ્રી હેમલતાબેન ધીરજલાલ સુંદરજી પટેલ પરિવાર તથા શ્રી નિર્મલાબેન નૈતમલાલ અમૃતલાલ શાહ પરિવાર તરફથી આયંબીલની ઓળી લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં શાતાકારી રીતે ચાલી રહી છે. દરરોજ આશરે ૧૨૫ આસપાસ આયંબિલ થાય છે.
આયંબિલ ઓળીના પારણા ૧૩-૪-૨૦૨૫ રવિવારના રોજ સવારે ૮-૩૦ કલાકે કરાવવામાં આવશે, તેમજ બંન્ને પરિવારો તરફથી શ્રી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિજનોનું સ્વામીવાત્સલ્યનો જમણવાર બપોરે ૧૨-૦૦ કલાકે જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવેલ છે. જ્ઞાતિજનોને સમયસર પધારવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial