Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટરઃ ત્રણ જવાન શહીદ

સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું

શ્રીનગર તા. પઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. આતંકવાદીઓને શોધવા માટે આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એન્કાઉન્ટર થયું છે.

સુરક્ષા દળોને જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં હલ્લાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી. ત્યારપછી સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૃ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરીંગ કર્યું. ત્યારપછી જવાનોએ ક્રોસ ફાયરીંગ કર્યું અને આ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. ફાયરીંગની આ ઘટનામાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતાં અને સારવાર દરમિયાન તેઓના મૃત્યુ થયા છે.

શ્રીનગર સ્થિત કોર્પ્સે એક ટ્વિટમાં જણાવ્યું કે, 'કુલગામના હલ્લાનમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ ૪ ઓગસ્ટે સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું.' ટ્વિટમાં વધુમાં કહેવામાં આયું છે કે, 'આતંકવાદીઓ તરફથી કરાયેલા ફાયરીંગ પછી ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. આ અથડામણમાં સેનાના ત્રણ જવાનો ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતાં. જેઓ બાદમાં મૃત્યુ પામ્યા હતાં. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.'

આ પહેલા એપ્રિલ અને મે મહિનામાં પૂંછ અને રાજૌરી જિલ્લામાં બે અલગ-અલગ હુમલા-અથડામણમાં સેનાના ૧૦ જવાનો શહીદ થયા હતાં. આ એ વિસ્તાર છે જેને છેલ્લા લગભગ બે દાયકાથી આતંકવાદ મુક્ત માનવામાં આવતો હતો. આ વર્ષની શરૃઆતમાં પણ આતંકવાદીઓએ રાજૌરીમાં હિન્દુ પરિવારોને નિશાન બનાવ્યા હતાં. આ દરમિયાન ૭ નિર્દોષ લોકો માર્યા ગયા હતાં અને એક ડઝનથી વધુ ઈજાગ્રસ્ત થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh