Advertisement
Author: નોબત સમાચાર

માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત મળતા જામનગરના કોંગીજનો ખુશઃ ફટાકડા ફોડ્યા

મોદી સરનેમ બાબતે બોલવામાં ફસાયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુપ્રિમકોર્ટમાંથી વચગાળાની રાહત મળતા જામનગરમાં ગઈકાલે કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફરમાવી હતી. જે મામલો સુપ્રિમ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. ગઈકાલે સુપ્રિમકોર્ટે રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપી છે. આથી કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં ગત્ સાંજે શહેર કોંગ્રેસ કાર્યાલય પાસે કોંગી કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. જેમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર અલ્તાફ ખફી, કાસમભાઈ જોખીયા, રચનાબેન નંદાણીયા, કોંગ્રેસના ભરત વાળા, સાજીદ બ્લોચ વિગેરે અગ્રણીઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh