Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક નાગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આવતીકાલે પૂ. મોરારીબાપુની કથા

દ્વારકા તા. પઃ ભારત દેશના બાર જ્યોતિર્લિંગમાં ૧૦૦૮ ભાવિકો સાથે બે ટ્રેનો દ્વારા પ્રવાસ સાથે કથાકાર મોરારીબાપુ કથાનું રસપાન પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન કરાવી રહ્યા છે.

જેના અંતિમ ચરણમાં આવતીકાલે દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવના સાનિધ્યમાં પૂ. મોરારીબાપુ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી કથા કરશે.

આ કથા અંગે મંડપ, સામિયાણો, ભોજનગૃહ, મંદિરમાં વ્યવસ્થા કરવા તમામ તૈયારી કરવામાં આવી છે.

જ્યોતિર્લિંગ કેદારનાથથી આ કથા અભિયાનનો આરંભ કરાયો હતો. જે ૧ર હજાર કિ.મી.નું અંતર કાપીને આવતીકાલે દ્વારકા આવી પહોંચશે. પૂ. મોરારીબાપુની કથા નિમિત્તે નાગેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શંકરના વિશેષ શૃંગાર દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકાના આગેવાનો મોહનભાઈ બારાઈ, પ્રફુલભાઈ દાસાણી, ભરતભાઈ સોલંકી તથા શિવભક્તો તૈયારી કરાવી રહ્યા છે.

દ્વારકામાં કથા વિરામ પછી રાત્રે બન્ને ટ્રેનો દ્વારકાથી સોમનાથ જવા રવાના થશે. ત્યાં તા. ૭/૮ ના સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. પૂ. મોરારીબાપુની આ ૯ર૧ મી કથા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh