Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી સીજીએસટી હેઠળ સરકારને ત્રિમાસિક ગાળામાં થઈ ₹ ૬૭૩ કરોડની આવક

રાજકોટ અને મોરબીને પણ પાછળ છોડયા

જામનગર તા. પઃ કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ પાસેથી જીએસટીની વસુલાત કરવામાં આવે છે. જેમાં રાજકોટ અને મોરબીની સરખામણીએ જામનગરમાંથી વધુ આવક સરકારને મળી છે. ત્રિમાસિકગાળાની જામનગરની આવક રૃા. ૬૭૩ કરોડની થવા પામી છે.

સીજીએસટી વિભાગમાંથી મળતી વિગતો મુજબ ર૧૪૬૪ વેપારીઓ દ્વારા જુદા જુદા ખરીદ વેચાણ વસ્તુ ઉપર ટેકસ વસુલવામાં આવે છે. જેમાં રાજકોટમાં ઓટો પાર્ટસ, કૃષિ સાધનો સહિતની વસ્તુનું ઉત્પાદન થાય છે. તેવી જ રીતે મોરબીમાં સીરામિક એકમો વધુ છે. જ્યારે જામનગરમાં બ્રાસપાર્ટસ અને ખાનગી કંપનીના કારણે ટેકસની આવક વધુ મળી છે. જુન માસમાં રાજકોટની ૪૮પ કરોડ, મોરબીની ૪પર કરોડ અને જામનગરમાં ૬૭૩ કરોડની ટેકસની આવક ત્રિમાસિક ગાળામાં મળી છે.

જો કે ટેકસ ચોરી સામે કાયદા કડક કરવામાં આવ્યા પછી પણ જામનગરમાં પણ ટેકસ ચોરી વધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh