Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના હેઠળ
જામનગર તા. ૪ઃ તાજેતરમાં શ્રમિકોના કલ્યાણ અર્થે ભારતીય ટપાલ વિભાગ અને આઈપીપીબી દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વીમાનો લાભ પહોંચાડવાનો છે. તેઓને એક અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડવા અને કેન્દ્ર સરકારના ઈન્સ્યુરન્સ ફોર ઓલના ધ્યેયને સાર્થક કરવા માટે આઈપીપીબીની અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના લાગુ પાડવામાં આવેલી છે. આ વીમા યોજના હેઠળ રૃા. ૧૦ લાખ અને રૃા. પ લાખ એમ બે વિકલ્પમાં ઉપલબ્ધ છે. આ વીમા યોજના હેઠળ ખૂબ જ ઓછા પ્રિમિયમમાં એટલે કે ૩.૪૯૯ અને રૃા. ર૮૯ ક્રમશઃ રીતે ઉપલબ્ધ છે.
જામનગર પોસ્ટ ઓફિસમાંથી શ્રી હિમાંશુભાઈ કગથરા દ્વારા જીએજી પોલિસી આઈપીપીબી હેઠળ લેવામાં આવેલી હતી. શ્રી હિમાંશુભાઈ કગથરાનું રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થતા તેમના વારસદાર શ્રી નિર્મળાબેન ચંદુલાલ કગથરાને અધિક્ષક પોસ્ટ ઓફિસ, જામનગર ડિવિઝનના શ્રી જી.પી. તલગાંવકરના હસ્તે રૃા. દસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જામનગરની જાહેર જનતા અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માટે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધી શકાશે. તેમ સુપ્રિન્ટેન્ડ ઓફ પોસ્ટ ઓફિસીઝ, જામનગર વિભાગ, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial