Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાડાટોડાના જવાનને શ્રદ્ધાંજલિઃ
જામનગર તા. ૫ઃ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાન શ્રી રવિન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને વીર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શહીદ જવાન રવિન્દ્રસિંહને શ્રદ્ધા-સુમન અર્પણ કરતા તેમણે જણાવ્યું હતું કે દેશ કાજે પ્રાણ ન્યોછાવર કરી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને રવિન્દ્રસિંહે સાચા અર્થમાં ઉજાગર કરી છે. આદિ કાળથી ક્ષત્રિયોએ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહૂતિ આપી દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે ત્યારે ફરી આજે જામનગરના જવાને રાષ્ટ્રહિતમાં પોતાનું બલિદાન આપી જામનગર સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. માઁ ભારતી પણ આવા શહીદોના બલિદાન પર ગર્વ અનુભવતી હશે એવો મને દૃઢ વિશ્વાસ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial