Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલમાંથી મેળવાયા હતા વચગાળાના જામીનઃ
જામનગર તા.પ ઃ રાજકોટ જિલ્લાના અનીડા વાછરા ગામના શખ્સને હત્યાના ગુન્હામાં સજા પડી હતી. જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થઈ પલાયન થઈ ગયેલા આ શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ખડધોરાજી ગામમાંથી પકડી પાડ્યો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછરા ગામના ઈશાક સુલેમાન જોબણ ઉર્ફે ઘોઘા નામના શખ્સ સામે અગાઉ હત્યાનો ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે ઈશાક સુલેમાનને સજા ફટકારી હતી. રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપતા આ કેદીએ વચગાળાના જામીન મેળવ્યા હતા. તેના પર મુક્ત થઈ આ શખ્સ પલાયન થઈ ગયો હતો. ઉપરોક્ત આરોપી કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં આવ્યો હોવાની બાતમી કાલાવડના પીએસઆઈ એચ.બી. પટેલ, માલદેવસિંહને મળતા ત્યાંથી ઈશાકને પકડી પાડવામાં આવ્યો છે. તેને રાજકોટની જેલમાં મોકલી આપવાની તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial